કોરોનાના 3,52,991ના નવા કેસ, 2812નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,52,991 નવા કેસ સામે આવ્યા છે.  છેલ્લા 24 કલાકમાં 2812 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,73,13,163 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,95,123 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,43,04,382  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,19,272 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 28,13,658 પહોંચી છે. રિકવરી રેટ વધીને 82.62 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.13 ટકા થયો છે.

દેશમાં 14.19 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 14,19,11,223 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 9,95,288 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.