કોરોનાના 3,47,254 નવા કેસઃ 703નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે કોરોનાના કેસોમાં ઝડપી ઉછાળો આવ્યો છે. દેશમાં કોરોનાના નવા કેસો ત્રણ લાખને પાર થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,47,254  નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 703 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,85,66,027 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ વધારો થયો છે. દેશમાં અત્યાર સુધી 4,88,396 લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવ રેટ 17.94 ટકા થયો છે., જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 16.56 ટકાએ પહોંચ્યો છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,60,58,806 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,51,777 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 20,18,825એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.50 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.27 ટકા થયો છે. દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 9692એ પહોંચી છે, જેમાં ગઈ કાલની તુલનાએ 4.36 ટકાનો વધારો થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 19,35,912 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 71.13 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 160.43 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,60,43,70,484 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 70,49,779 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.