કોરોનાના 30,615 નવા કેસ, 514નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં 11.7  ટકાનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30,615 નવા કેસ નોંધાયા છે. જોકે એ પહેલાં 27,409 દૈનિક કેસો નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 514 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,27,23,558 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,09,872 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,18,43,446 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 82,988 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3,70,240એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 97.94 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 12,51,677 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 75.42 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 2.45 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.32 ટકા છે.

 દેશમાં 173.86 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,73,86,81,675 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 41,54,476 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.