કોરોનાના 2568 નવા કેસ, 20નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2568 નવા કેસ નોંધાયા છે, જે ગઈ કાલની તુલનાએ 18.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા કલાકમાં 20 લોકોનાં મોત થયાં છે, દેશમાં સક્રિય કેસો 20,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 189.41 કરોડ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,30,84,913 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,23,889 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,25,41,887 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2911 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 19,137એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.74 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,19,552 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 83.86 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.71 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.63 ટકા છે.

દેશમાં 189.41 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,89,41,68,295 લાખ કોરોનાના રસના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ગઈ કાલે 16,23,795 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.