કોરોનાના 20,409 નવા કેસ, 47નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,409 નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની તુલનાએ મામૂલી ઘટાડો નોંધાયો છે.  છેલ્લા 24 કલાકમાં 47 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 203.60 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,39,59,321 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,26,258 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,33,09,484  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 22,697  લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,43,988એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.33 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.48  ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 3,98,761 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 87.44 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.31 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 4.57 ટકા છે.

દેશમાં 203.60 લાખથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,03,60,46,307 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 38,63,960  લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.