કોરોનાના 1,94,720 નવા કેસઃ 442નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,94,720  નવા કેસ નોંધાયા છે. જે ગઈ કાલની તુલનાએ 15.8 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 442 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,60,70,510 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,84,655 લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવ રેટ 11.05 ટકા થયો છે.

દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 4818એ પહોંચી છે, જેમાં 1805 દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે. ઓમિક્રોનના કેસો 26 રાજ્યોમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 1281 નોંધાયા છે અને બીજા ક્રમે રાજસ્થાનમાં 645 કેસો છે.  દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,46,30,536 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 60,450 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 9,55,319એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,61,900 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 69.48 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 153.80 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,53,80,08,200 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 85,26,240 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.