કોરોનાના 1778 નવા કેસ, 62નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં સાધારણ વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1778 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 62 લોકોનાં મોત થયાં છે. દેશમાં સક્રિય કેસો 25,000ની નીચે છે. રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 181.89 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,30,12,749 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,16,605 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,24,73,057 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2542 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 23,087એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.75 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 6,77,218 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 78.42 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.26 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.36 ટકા છે.

ચીનમાં લોકડાઉન

ચીનમાં 90 લાખ રહેવાસીઓવાળા એક ઓદ્યૌગિક શહેરમાં ફરીથી લોકડાઉન લાદવામાં આવ્યું છે. ચીનમાં મંગળવારે 4000થી વધુ કોરોનાના કેસો નોંધાયા હતા.

 દેશમાં 181.89 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,81,89,15,234 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 30,53,897 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.