કોરોનાના 1,41,986 નવા કેસઃ 285નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 11 દિવસોમાં કોરોનાના દૈનિક ધોરણે કેસો 22 ટકા વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,41,986  નવા કેસ નોંધાયા છે. જે ગઈ કાલની તુલનાએ 21 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 285  લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,53,68,372 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,83,463 લોકોનાં મોત થયાં છે.

દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 3071એ પહોંચી છે, જેમાં 1203 દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે. ઓમિક્રોનના કેસો 26 રાજ્યોમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 876 નોંધાયા છે અને બીજા ક્રમે દિલ્હીમાં 513 કેસો છે.  દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,44,12,740 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 40,895 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4,72,169એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.30 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.37 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 15,29,948 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 68.74 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 150.61 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,50,61,92,903 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 90,59,360 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.