કોરોનાના 1,00,636 વધુ નવા કેસ, 2427નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડવાની સાથે કોરોનાના કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 1,00,636 નવા કેસ સામે આવ્યા છે. 61 દિવસો બાદ દૈનિક ધોરણે આટલા ઓછા કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2427 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,89,09,975 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,49,186 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,71,59,180  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,74,399 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 14,01,609એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.94 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.

દેશમાં ગઈ કાલે 15,87,589 સેમ્પલોની તપાસ કરવામાં આવી હતી. પોઝિટિવિટી રેટ 6.33 ટકા છે.

દેશમાં 23.27 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 23,27,86,482 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 13,90,916 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.