મુંબઈ: પૃથ્વી થિયેટર ખાતે 9 ગુજરાતી નાટકોનું મંચન, જાણો તમામ માહિતી

આઇડિયાઝ અનલિમિટેડ ગુજરાતી દર્શકો માટે 18થી 20 એપ્રિલ એમ ત્રણ દિવસ ભરપૂર મનોરંજન લાવી રહ્યુ છે. જુહૂ સ્થિત આવેલા પૃથ્વી થિયેટર ખાતે ત્રણ દિવસ દરમિયાન 9 ગુજરાતી નાટકોનું મંચન થવા જઈ રહ્યું છે. આ નવ નાટકોમાં કયા કયા નામ સામેલ છે, અને કોણ કોણ મંચ પર તમારું મનોરંજ કરશે તેની વિગત જાણીએ.

મુંબઈમાં પૃથ્વી થિયેટર ખાતે ત્રણ દિવસ ગુજરાતી નાટકોની ભજવણી થશે. 18 એપ્રિલથી 20 એપ્રિલ દરમિયાન અભિનેતા પ્રતિક ગાંધી, ધર્મેન્દ્ર ગોહિલ, ભામિની ઓઝા, ચિરાગ વોરા, જય ઉપાધ્યાય હેમંત ખેર, દિશા સાવલા, વિશાલ શાહ અને આર.જે દેવકીના પર્ફોમન્સ તમને અલગ જ અનુભૂતિ કરાવશે.

અભિનેતા પ્રતિક ગાંધી અભિનિત ‘મોહન કા મસાલા’ અને ‘ચંદ્રકાન્ત બક્ષી’ નાટક 18 એપ્રિલના માણી શકાશે. તેમજ આ દિવસે કાર્લ માર્ક્સ ઇન કાલબાદેવી- ધ ઇનક્રેડિબલ સ્ટોરી ઑફ મની ઇન હિન્ગલીશ નાટક પણ જોઈ શકશો.

19 એપ્રિલની વાત કરીએ તો ચિરાગ વોરા અભિનિત ફની, ટ્રેજિક એન્ડ હિલેરિયર! વૉટ્સઅપ, બપોરે 3 વાગ્યે માણી શકાશે. જ્યારે આ દિવસે સાડા પાંચ વાગે થર્ડ બેલ અને ભામિની ઓઝાનું બોમ્બે ફ્લાવર નાટક પણ જોઈ શકાશે.

ધર્મેન્દ્ર ગોહિલનું મરિઝ નાટક 20 એપ્રિલના જોઈ શકશો. તેમજ આ જ તારીખે કાગડો અને આર.જે દેવકીનું અદભુત નાટક પણ માણી શકો છો. મનોજ શાહ દ્વારા દિગ્દર્શિત આ તમામ નાટકોનો આનંદ માણવા માટે બુક માય શ઼ૉ પર નાટકોની ટિકીટ ઉપલબ્ધ છે.