26/11 મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો. ઘણા પ્રયત્નો પછી તેને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો. તહવ્વુર રાણા એક ખાસ વિમાન દ્વારા દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યો હતો. NIA દ્વારા આતંકવાદી રાણાની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હવે તેમને કડક સુરક્ષા વચ્ચે NIA મુખ્યાલય લાવવામાં આવશે.
Delhi: Security tightened at NIA Headquarters as DG’s vehicle arrives. Following the arrest, medical examination of the 26/11 attack mastermind Tahawwur Rana will be conducted as part of the legal process pic.twitter.com/iD5xgsTSqt
— IANS (@ians_india) April 10, 2025
દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા પછી તહવ્વુર રાણાને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં NIA તેના રિમાન્ડની માંગ કરશે. તેમને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે. તેને જેલમાં રાખવા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાણા મૂળ પાકિસ્તાનનો અને વ્યવસાયે ડૉક્ટર છે.
લાંબી કાનૂની પ્રક્રિયા પછી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો. NIA, RAW સાથે મળીને, તેને ભારત લાવવા માટે સંકલન કરી રહી હતી. 2008ના મુંબઈ હુમલામાં 166 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. તહવ્વુર રાણા આ હુમલાનો મુખ્ય સૂત્રધાર હતો.
