નવી દિલ્હીઃ કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)ની ફાળવણીમાં કપાત કરીને તેને બંધ કરવાની કોશિશ કરી રહી છે, જે બંધારણના વિરુદ્ધ ગુનો છે.
તેમણે દાવો કર્યો કે મોદી સરકારે હવે વર્ષના પહેલા 6 મહિનામાં મનરેગાના ખર્ચની મર્યાદા 60 ટકા નક્કી કરી છે. ખડગેએ ‘X પર લખ્યું હતું કે મોદી સરકાર ગરીબોની જીવનરેખા મનરેગાને તડપાવી-તડપાવીને ખતમ કરવાની કોશિશમાં લાગી છે. હવે મનરેગાના ખર્ચ પર વર્ષના પહેલા છ મહિનાઓ માટે 60 ટકા મર્યાદા નક્કી કરી છે. મનરેગા જે બંધારણ હેઠળ કામના અધિકારને કાનૂની રીતે સુનિશ્ચિત કરે છે, તેમાં કપાત કરવી એ બંધારણના વિરુદ્ધ ગુનો છે.’
તેમણે સવાલ કર્યો હતો કે શું મોદી સરકાર આ માટે માત્ર એટલા માટે કરી રહી છે કે તે ગરીબોની ખિસ્સામાંથી આશરે 25,000 કરોડ રૂપિયા ખેંચી શકે, જે સામાન્ય રીતે વર્ષે અંત સુધીમાં વધતી માગને કારણે તેને આગળના નાણાકીય વર્ષમાં અલગથી ખર્ચ કરવા પડે છે?
मोदी सरकार गरीबों की जीवन-रेखा मनरेगा को तड़पा-तड़पा कर ख़त्म करने की कवायद में जुटी है।
मोदी सरकार ने अब वर्ष के पहले 6 महीनों के लिए मनरेगा खर्च की सीमा 60% तय कर दी है।
मनरेगा जो संविधान के तहत RIGHT TO WORK का क़ानूनी अधिकार सुनिश्चित करती है, उसमें कटौती करना संविधान के… pic.twitter.com/8mUv2PelHF
— Mallikarjun Kharge (@kharge) June 16, 2025
તેમણે વધુમાં કહ્યું હતું કે મનરેગા એ માગ આધારિત યોજના છે. તો જો આપત્તિઓ કે ખોટા વાતાવરણ જેવી પરિસ્થિતિઓને કારણે પહેલી છ મહિનામાં માગ વધી જાય તો શું થશે?
‘‘શું આવી મર્યાદા લાદવાથી તે ગરીબોને નુકસાન નહીં થાય જે તેમની આજીવિકા માટે મનરેગા પર નિર્ભર છે?
કોંગ્રેસ અધ્યક્ષે વધુ સવાલ કરતાં કહ્યું હતું કે શું એ સાચું નથી કે તાજેતરના રિપોર્ટ મુજબ માત્ર સાત ટકા પરિવારોને વચન આપેલા 100 દિવસનું કામ મળી શક્યું છે?’’
છેલ્લાં 10 વર્ષમાં બજેટની તુલનામાં મનરેગા માટે સૌથી ઓછી ફાળવણી કેમ કરવામાં આવી?
ગરીબવિરોધી મોદી સરકાર, મનરેગા શ્રમિકો પર અત્યાચાર કરવા કેમ કરે છે?
