શિક્ષણમાં આરક્ષણ ખતમ કરતી મોદી સરકાર: રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે આરોપ લગાવ્યો હતો0 કે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) સમુદાયના લાયક ઉમેદવારોને જાણીબૂજીને ‘યોગ્ય નથી મળ્યા’ જાહેર કરવામાં આવે છે જેથી તેમને શિક્ષણ અને નેતૃત્વથી દૂર રાખી શકાય.

રાહુલ ગાંધીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે દિલ્હીની યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU)ના વિદ્યાર્થીઓ સાથે તેમની તાજેતરની મુલાકાતનો વિડિયો પણ શેર કર્યો હતો. લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ હિન્દીમાં લખ્યું હતું  કે નોટ ફાઉન્ડ સુટેબલ હવે નવો મનુવાદ છે. SC/ST/OBC ના લાયક ઉમેદવારોને જાણબૂજીને ‘અયોગ્ય’ જાહેર કરવામાં આવે છે જેથી તેમને શિક્ષણ અને નેતૃત્વથી દૂર રાખી શકાય.”

‘મનુવાદ’ એ મનુસ્મૃતિથી શાસિત સમાજની વિચારધારા છે. રાહુલ ગાંધીએ બી.આર. આંબેડકરના ક્વોટ સાથે જણાવ્યું હતું કે શિક્ષણ સમાનતાનું સૌથી મોટું હથિયાર છે અને મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર તથા RSS આ શક્તિને નષ્ટ કરવાના પ્રયાસમાં છે. તેમણે કહ્યું હતું કે મોદી સરકાર આ હથિયારને ખતમ કરવા માટે વ્યસ્ત છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પ્રોફેસરોના 60 ટકાથી વધુ આરક્ષિત પદો અને એસોસિયેટ પ્રોફેસરોના 30 ટકાથી વધુ આરક્ષિત પદો ‘નોટ ફાઉન્ડ સુટેબલ (NFS)’ પદ્ધતિથી ખાલી રાખવામાં આવ્યા છે.

તેમણે કહ્યું, “આ કોઈ અપવાદ નથી – આવું કાવતરું IIT, કેન્દ્રીય યુનિવર્સિટીઓ વગેરેમાં પણ ચાલી રહી છે. NFS એ બંધારણ પર હુમલો છે. NFS એ સામાજિક ન્યાય સાથે વિશ્વાસઘાત છે. ભૂતપૂર્વ કોંગ્રેસાધ્યક્ષે કહ્યું હતું કે આરક્ષણ મેળવવું એ હક, સન્માન અને ભાગીદારીની લડાઈ છે. તેમણે કહ્યું હતું  કે મેં DUSU ના વિદ્યાર્થીઓ સાથે વાત કરી, હવે આપણે બધા મળીને બંધારણની શક્તિથી BJP/RSS ના દરેક આરક્ષણવિરોધી પગલાનો જવાબ આપીશું.

આ વિડિયોમાં રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં જોવા મળે છે કે હિંદુત્વ પ્રોજેક્ટનો ઉદ્દેશ SC, ST અને OBCના ઇતિહાસને અસ્તિત્વમાંથી મિટાવવાનો છે. જોકે  દિલ્હી યુનિવર્સિટી (DU)એ 22 મેની મુલાકાત બદલ રાહુલ ગાંધીની અઘોષિત મુલાકાત  સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને સંસ્થાગત પ્રોટોકોલનો ઉલ્લંઘન અને વિદ્યાર્થી વહીવટમાં ખલેલ ગણાવ્યો હતો.