ચૂંટણી 2024: PM મોદીએ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું

લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ બીજા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં છે. ભાજપના સ્ટાર પ્રચારક તરીકે પીએમ નરેન્દ્ર મોદી રવિવારે રાજસ્થાનના જાલોર પહોંચ્યા હતા. અહીં સંબોધન કરતી વખતે તેમણે કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને મનમોહન સિંહ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે જે લોકો ચૂંટણી જીતી શકતા નથી તેમને રાજ્યસભા દ્વારા જીતાડીને બચાવી રહ્યા છે.

વિપક્ષી પાર્ટીઓ અને કોંગ્રેસના ‘INDIA’ ગઠબંધન પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું, તમે ઉદારતાથી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલ્યા તેઓ લાંબા સમયથી બીમાર હતા. પરંતુ શું તમે તેમને રાજસ્થાનમાં ફરીથી જોયા ?


PM મોદીએ સોનિયા ગાંધી અને મનમોહન સિંહ વિશે શું કહ્યું?

કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી. તેમણે કહ્યું કે, આજે દેશના યુવાનો કોંગ્રેસનો ચહેરો જોવા નથી માંગતા. કોંગ્રેસની આજે જે હાલત છે તેના માટે તેઓ પોતે જ દોષિત છે. જે પાર્ટીએ 60 વર્ષ સુધી શાસન કર્યું અને એક સમયે 400 બેઠકો જીતી હતી તે આજે ચૂંટણી લડતા નથી. 300 બેઠકો પર આજે કોંગ્રેસ ઉમેદવારો શોધી શકી નથી. પીએમ મોદીએ કહ્યું, આજે વિપક્ષી ગઠબંધનની પાર્ટીઓ દેશમાં 25 ટકા સીટો પર એકબીજા સામે લડી રહી છે. જો ચૂંટણી પહેલા આ સ્થિતિ છે તો ચૂંટણી પછી શું થશે. સભાને સંબોધતા પીએમએ કહ્યું કે, ત્રીજી વખત સરકાર બનતા જ જેમને ઘર નથી મળ્યા તેમને ઘર આપીશું. આગામી સરકારમાં 3 કરોડ ઘર બનાવીશું. આ મોદીની ગેરંટી છે.