બૉલિવૂડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ આ દિવસોમાં હાઉસફુલ 5 ફિલ્મની સફળતા માણી રહી છે. લાગે છે કે હવે અભિનેત્રી થોડો આરામનો સમય પસાર કરવા માંગે છે અને એટલે જ તે શ્રી શ્રી રવિશંકરના આશ્રમ, આર્ટ ઓફ લિવિંગ સેન્ટર પહોંચી છે. જ્યાં તેણી કુદરત અને પ્રકૃતિ સાથે સમય વિતાવતી જોવા મળી.
અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણીને આશ્રમની મુલાકાતની પળો બતાવી છે. જેક્લિને શેર કરેલી તસવીરો અને વીડિયોમાં તે પ્રકૃતિ અન ગૌશાળાનો આનંદ માણતી દેખાય છે. ગ્રેટિટ્યુ઼ડ વ્યક્ત કરતાં તેણીએ લખ્યું કે, “મારુ મન ભરાઈ ગયુ, આભાર ગુરુદેવ રાહ બતાવવા માટે, હું તમારી આભારી છું.”
View this post on Instagram
વીડિયોમાં જેક્લિન ગાય અને વાછરડાં પર પ્રેમ વરસાવતી જોવા મળે છે. મુકબંધ પ્રાણી સાથે જાણે એક અતૂટ બંધન બંધાઈ ગયું હોય તેમ તે નિખાલસ ભાવથી ગૌશાળામાં ગાયો સાથે સમય પસાર કરતી જોવા મળી અભિનેત્રી.
આ સાથે જ અભિનેત્રીએ ઘોડેસવારી કરી. તેમજ હાથીઓ સાથે પણ મસ્તી કરતી દેખાઈ. શેર કરેલી તમામ તસવીરો અને વીડિયો પરથી લાગે છે જેક્લિને આશ્રમમાં ખૂબ જ સુંદર રીતે સમયને માણ્યો છે.
