‘ઇઝરાયેલ જીતે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે’: PM નેતન્યાહુ

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ગાઝા પટ્ટીમાં હમાસ દ્વારા બંધક બનાવેલા નાગરિકોને પરત લાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઇઝરાયેલની જીત સુધી અમારી કાર્યવાહી ચાલુ રહેશે. અમારી પાસે બીજી કોઈ જમીન કે કોઈ રસ્તો નથી. તેમણે બંધકોના પરિવારજનોની પણ પ્રશંસા વ્યક્ત કરી હતી.

યુદ્ધ હજી પૂરું થયું નથી – નેતન્યાહુ

નેતન્યાહુએ કહ્યું કે તેણે બંધકો વતી હસ્તક્ષેપ કરવા માટે ચીનના રાષ્ટ્રપતિ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો સંપર્ક કર્યો હતો. આ પહેલા દિવસે પીએમ બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધ ક્ષેત્રની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ગાઝામાં હમાસ વિરુદ્ધ યુદ્ધ હજુ સમાપ્ત થયું નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ હુમલાની નિંદા કરી 

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગાઝામાં શરણાર્થી શિબિર પર થયેલા હુમલાની નિંદા કરી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાના સ્ટાફે સોમવારે ગાઝાની એક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે હુમલામાં ઘાયલ થયેલા લોકોની હાલત પૂછી હતી.