IPL 2023: સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સમાં પરત ફર્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી આગામી સિઝન માટે ટીમમાં પરત ફર્યા છે. રિપોર્ટ અનુસાર, IPL 2023માં દાદા દિલ્હી કેપિટલ્સના ક્રિકેટના વડા હશે. તમને જણાવી દઈએ કે આ પહેલા સૌરવ ગાંગુલી બીસીસીઆઈ ચીફ બનતા પહેલા દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલા હતા. અગાઉ માર્ચ 2019માં દાદા દિલ્હી કેપિટલ્સના સલાહકાર રહી ચૂક્યા છે.

સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ બન્યા બાદ દિલ્હી કેપિટલ્સના મેન્ટરનું પદ છોડી દીધું. સૌરવ ગાંગુલી આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પૂણે વોરિયર્સ ઈન્ડિયાનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગયા વર્ષે BCCIના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના પછી રોજર બિન્નીને BCCI ચીફ બનાવવામાં આવ્યા છે. બોર્ડમાં આ પદ સંભાળતા પહેલા દાદા દિલ્હી કેપિટલ્સના સલાહકાર હતા.

આઈપીએલના સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું છે કે સૌરવ ગાંગુલીને દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝી માટે ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે. IPLમાં દિલ્હી કેપિટલ્સ ઉપરાંત, સૌરવ ગાંગુલી દક્ષિણ આફ્રિકા T20 લીગમાં આ જૂથની આંતરરાષ્ટ્રીય ટીમો દુબઈ કેપિટલ્સ અને પ્રિટોરિયા કેપિટલ્સના તમામ ક્રિકેટ વર્ટિકલ્સનું પણ ધ્યાન રાખશે.

આઈપીએલના સૂત્રોના જણાવ્યા અનુસાર, દાદાએ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાવાની મંજૂરી આપી દીધી છે અને તમામ જરૂરી કાગળો પૂર્ણ થઈ ગયા છે. આવી સ્થિતિમાં તે ત્રણ વર્ષ બાદ એકવાર દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં જોવા મળશે.