હેપેટાઈટિસ-C વાઈરસ શોધનાર 3 વિજ્ઞાનીઓને મેડિસીનનો નોબેલ પુરસ્કાર

સ્ટોકહોમઃ વર્ષ 2020 માટે મેડિસીન ક્ષેત્ર માટેના નોબેલ પુરસ્કારનું એલાન કરી દેવામાં આવ્યું છે. આ વખતે ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રૂપે આ પુરસ્કાર આપવામાં આવશે. આ વૈજ્ઞાનિકોને હેપેટાઇટિસ-સી વાઇરસની શોધ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. અમેરિકાના હાર્વે જે ઓલ્ટર, ચાર્લ્સ એમ. રાઇસ અને બ્રિટિશ વૈજ્ઞાનિક માઇકલ હોફ્ટનને આ પુરસ્કાર મળ્યો છે. નોબેલ કમિટીના પ્રમુખ થોમસ પર્લમેને સ્ટોકહોમમાં વિજેતાઓનાં નામની ઘોષણા કરી હતી.

નોબેલ પુરસ્કાર સમિતિના મુજબ હેપેટાઇટિસ વિશ્વભરમાં લોકોમાં સોરાયસિસ અને લિવરના કેન્સરનું કારણ બને છે. એ વૈજ્ઞાનિકોને એવોર્ડ સ્વરૂપે આશરે 11.20 લાખ ડોલરની રકમ આપવામાં આવશે. નોબેલ પુરસ્કાર આપતી સંસ્થાએ કહ્યું હતું કે આ વર્ષે આ પુરસ્કાર લોહીને કારણે પેદા થનારા હેપેટાઇટિસથી વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકોને સોરાયસિસ અને લિવર કેન્સર થાય છે. ત્રણે વૈત્રાનિકોએ એક નોવેલ વાઇરસની શોધમાં મૂળભૂત શોધ કરી, જેમાં હેપેટાઇટિસ-સીની ઓળખ થઈ શકી.

નોબેલ પુરસ્કાર આપતી સંસ્થાના જણાવ્યા મુજબ આ સપ્તાહે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, સાહિત્ય અને શાંતિના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારોની દોડમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ છે. તેમને ઇઝરાયલ અને UAEની વચ્ચે શાંતિ સોદો કરાવવા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ વિશ્વમાં સાત કરોડ હેપેટાઇટિસના કેસ છે અને દર વર્ષે આ બીમારીને કારણે વિશ્વમાં ચાર લાખ લોકોનાં મોત થાય છે. આ રોગને ક્રોનિક બીમારીની શ્રેણીમાં મૂકવામાં આવે છે અને લિવરથી સંકળાયેલી બીમારીઓ અને કેન્સરનું મુખ્ય કારણ છે.