ઇરાકે ભારતીય કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યોઃ WHOએ અલર્ટ જારી કર્યું

જિનિવાઃ ભારતીય કફ સિરપને લઈને વિશ્વભરના દેશ ચિંતિત છે. ઇરાકે પણ કહ્યું હતું કે ભારતીય કંપનીમાં બનેલી દવાનું જ્યારે લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું તો માલૂમ પડ્યું હતું કે આ કફ સિરપ ના માત્ર દૂષિત છે, બલકે ઘાતક પણ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ પણ ભારતમાં બનેલા કફ સિરપને લઈને ફરી એક વાર અલર્ટ જારી કર્યું છે. છેલ્લા 10 મહિનામાં આ પાંચમી વાર છે, જ્યારે WHOએ ભારતીય કફ સિરપ માટે અલર્ટ જારી કર્યું છે.

ઇરાકમાં જે કફ સિરપ પર પ્રતિબંધ કરવાની વાત કરવામાં આવી રહી છે, એને ફોર્ટ્સ ઇન્ડિયા લેબ પ્રાઇવેટ લિમિટેડ તરફથી ડેબીલાઇફ ફાર્મા પ્રોડક્ટ લિ.એ તૈયાર કર્યું હતું. WHOએ અહેવાલમાં જણાવ્યું હતું કે આ કફ સિરપમાં એથિવિન ગ્લાયકોલ અને ડાયથિલિન ગ્લાયકોલ –બંને કેમિકલની માત્રા નક્કી મર્યાદાધી 0.10 ટકા વધારે નાખવામાં આવી હતી. આ કોઈના પણ ખતરનાક સાબિત થઈ શકે છે. WHOનું કહેવું છે કે આના ઉપયોગથી ના માત્ર લોકોની તબિયત ગંભીર રીતે ખરાબ થઈ શકે, પણ એનું મોત પણ થવાની શક્યતા છે.

ભારતીય કફ સિરપ પર સવાલો?

સૌથી પહેલાં ઓક્ટોબર, 2022માં ગાંબિયામાં 70 બાળકોનાં મોત થયાં તો એને હરિયાણાની મેડન ફાર્મા દ્વારા કફ સિરપ સાથે જોડવામાં આવ્યું હતું. એ સમયે પણ WHOએ આ મેડિકલ પ્રોડક્ટને લઈને અલર્ટ જારી કર્યું હતું. ત્યાર બાદ ડિસેમ્બર, 2022માં ઉજબેકિસ્તાન સરકારે આરોપ લગાવ્યો હતો કે એને ત્યાં 18 બાળકોનાં મોતની જવાબદાર મેરિયન બાયોટેક લિ. ગણાવી હતી.