હિંમત હોય તો…. CR પાટીલની બિલાવલ ભુટ્ટોને ખુલ્લી ચેલેન્જ

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ છે. હાલમાં ભારત કઈ મોટું કરવાની તૈયારીમાં છે. જેના પગલે પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. આ ડર વચ્ચે પાકિસ્તાની નેતાઓ બેબાક નિવેદનો આપી રહ્યા છે. તો બીજી તરફ ભારત પણ વળતો જવાબ આપી રહ્યું છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સીઆર પાટીલે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે કહ્યું હતું કે ‘જો પાણી રોકવામાં આવશે તો નદીઓમાં લોહી વહેવા લાગશે’ પાટીલે કહ્યું કે આવી ધમકીઓનો કોઈ અર્થ નથી. તેણે બિલાવલને પડકાર ફેંક્યો કે જો તેનામાં હિંમત હોય તો તે ભારત આવીને બતાવે.

ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા બાદ બિલાવલ ભુટ્ટો દ્વારા આપવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનના જવાબમાં પાટીલે આ પ્રતિક્રિયા આપી હતી. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે આ પગલું ભર્યું છે. રવિવારે સુરતમાં એક કાર્યક્રમને સંબોધતા પાટીલે કહ્યું, ‘મોદીજી કહે છે, ‘પાણી છે તો તાકાત છે’. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાનને પાણી મળવું જોઈએ નહીં. આ જોઈને બિલાવલ ગુસ્સે થઈ ગયા. તે કહે છે કે જો પાણી નહીં મળે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે. તેણે આગળ કહ્યું, ‘શું આપણે ડરીશું? હું બિલાવલને કહું છું કે ભાઈ, તમારામાં થોડી પણ હિંમત હોય તો ભારત આવીને બતાવ. અમે આવી ધમકીઓથી ડરવાના નથી. પાણી બચાવવું એ આપણી ફરજ છે.

સીઆર પાટીલે 2500 થી વધુ વરસાદી પાણીના સંગ્રહના માળખાના નિર્માણ કાર્યના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત ‘જનભાગીદારી દ્વારા જળ સંરક્ષણ’ કાર્યક્રમમાં આ વાત કહી. આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પાણી બચાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.