મુંબઈ-અમદાવાદ વચ્ચે ટૂંક સમયમાં બુલેટ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. હાલમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કામ ચાલી રહ્યું છે. આ કામને લઈ અમદાવાદમાં બે મહત્વાના બ્રિજ પર વાહનની અવર જવર પર રોક લગાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 18 ફેબ્રુઆરીથી મણિનગરના નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજ બંધ કરાયો હતો, જ્યારે 22 ફેબ્રુઆરીથી અસારવા બ્રિજ પણ એક મહિના માટે બંધ રહેશે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે આ વચ્ચે અમદાવાદના મહત્વના ગણાતા એવા બે બ્રિજ પર થોડા સમય માટે વાહનોની અવર જવાર રોક લગાવી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાથાલાલ ઝઘડા ઓવરબ્રિજ 28 ફેબ્રુઆરી, 2025 સુધી બંધ રહેશે. તો અસારવા બ્રિજ એક મહિના સુધી બંધ રહેશે. આ બ્રિજ બંધ રહેવાથી શેહરમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થવાની સંભાવના સેવાય રહી છે. જેને લઈ ટ્રાફિક તંત્રએ વૈકલ્પિક રૂટની પણ જાહેરાત કરી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે, ત્યારે મુંબઈ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી ભારતની પ્રથમ બુલેટ ટ્રેનની કામગીરીને લઈને શહેરના બે બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. આ દરમિયાન શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને લઈને પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મણિનગર રેલવે ક્રોસિંગ અને અનુપમ બ્રિજ પરથી વાહન ચાલકો અવર જવર કરી શકશે.
