અમદાવાદમાં સાયન્સ સિટી 8 નવેમ્બરે પણ ખુલ્લું રહેશે

અમદાવાદઃ દિવાળીના તહેવારની રજાઓમાં શહેરના ‘સાયન્સ સિટી’ ખાતે મુલાકાતીઓનો ભારે ધસારો રહ્યો હતો. ભાઈબીજના દિવસે ૧૦ હજારથી વધુ મુલાકાતીઓએ સાયન્સ સિટી ની મુલાકાત લીધી હતી.

લોકો મુલાકાત લઈ શકે એ વાતને ધ્યાનમાં લઇને સાયન્સ સિટીને સોમવાર, ૮ નવેમ્બર-૨૦૨૧ના રોજ મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવાનો ગુજરાત સાયન્સ સિટી મેનેજમેન્ટે નિર્ણય લીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]