ધો. 12 કોમર્સ પરીક્ષાર્થીઓની પ્રતિક્ષાનો આજે અંત, પરિણામનો દિવસ

ગાંધીનગર- આજે રાજ્ય શિક્ષણબોર્ડ દ્વારા ધોરણ 12 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 12 સામાન્યપ્રવાહનું પરિણામ 31મી મેએ સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.આ સાથે ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમા અને ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની સેમેસ્ટર સીસ્ટમના વિદ્યાર્થીઓ માટેની ખાસ પરીક્ષાના પરિણામ પણ પ્રગટ કરવામાં આવશે.વિજ્ઞાન પ્રવાહમાં પાંચ વર્ષનું સૌથી ઓછું પરિણામ આપવામાં આવ્યું છે ત્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ થોડું ઊંચું આવે તેવી સંભાવનાઓ છે. જોકે રાજ્યમાં કોમર્સમાં પ્રવેશ લેવા માટે લાખો વિદ્યાર્થીઓ ઇચ્છુક હોય છે જેને લઇને પરિણામમાં આવેલી ટકાવારી મુજબ સારી કોલેજમાં પ્રવેશ લેવા માટે આ વર્ષે પણ હરીફાઇ રહેશે તેવો પ્રાથમિક અંદાજ છે.