રાજ્યસભાની ચૂંટણીઃ ભાજપ માટે ત્રીજી સીટ મેળવવી સરળ નહીં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 103 વિધાનસભ્યો છે, પણ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ત્રણ ઉમેદવારો જિતાડવા માટે અત્યારે કમસે કમ પાંચ વિધાનસભ્યોની જરૂર છે. ભાજપ ત્રીજી બેઠક જીતવા આકાશપાતાળ કરી રહ્યો છે, પણ ત્રીજી સીટ જીતવી જરાય સરળ નહીં હોય.

પાંચ વિધાનસભ્યોનો જુગાડ કેવી રીતે થશે?

ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 103 વિધાનસભ્યો છે, પણ ભાજપે ત્રણ ઉમેદવારોને જિતાડવા માટે પાંચ વિધાનસભ્યોની જરૂર છે. જીતવા માટે સમીકરણ મુજબ એક સીટ મેળવવા માટે પહેલી પ્રાથમિકતા 36 મત મળવા જરૂરી છે. ભાજપ ભલે દાવો કરી રહ્યો હોય કે એને બીટીપીન  બે અને એનસીપીના એક વિધાનસભ્યનો ટેકો પ્રાપ્ત છે. જોકે તેમ છતાં એને ત્રીજી સીટ જીતવા માટે બે વધુ વિધાનસભ્યોના ટેકાની જરૂર છે.

કોંગ્રેસ વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ ના કર્યું તો?

ભાજપને આશા છે કે કેટલાક વધુ કોંગ્રેસી વિધાનસભ્યો ક્રોસ વોટિંગ દ્વારા એ ત્રીજી સીટ જીતી શકશે. આ સિવાય એક વધુ સંભાવના બને છે કે કોંગ્રેસના કેટલાક વિધાનસભ્યો રાજીનામાં આપી દે. જેતી વિધાનભવનમાં તેમનું સંખ્યાબળ ઘટી જાય. આવામાં ભાજપની પહેલી પ્રાથમિકતા માટે જરૂરી વોટોની સંખ્યા 34 સુધી ઘટી જાય. જો આવું થાય તો ભાજપને વગર કોઈની મદદે ત્રણેત્રણ સીટો જીતી જાય.

સોલંકી અથવા ગોહિલ- બેમાંથી એક પર સંકટ

રાજ્યના ચાર રાજ્યસભા સભ્યો- ચૂનીભાઈ ગોહિલ, લાલસિંહ વડોદરિયા, શંભુ પ્રસાદ ટુંડિયા અને મધુસૂદન મિસ્ત્રીનો કાર્યકાળ નવ એપ્રિલે પૂરો થઈ રહ્યો છે. આમાં કોંગ્રેસ પાસે મધુસૂદન મિસ્ત્રીની જ એક બેઠક છે, પણ કોંગ્રેસે બે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને ઉમેદવાર બનાવ્યા છે, પણ આમાંથી કોઈ એકે હારનો સામનો કરવો પડે એમ છે.

હવે કોંગ્રેસ પાસે 68 વિધાનસભ્યો છે, કેમ કે કોંગ્રેસના પાંચ વિધાનસભ્યોએ રાજીનામાં આપ્યાં છે. વળી, કોંગ્રેસે આ પાંચ વિધાનસભ્યોને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પક્ષમાંથી કાઢી મૂક્યા છે. બીજી બાજુ કોંગ્રેસે બાકીના વિધાનસભ્યોને જયપુર શિફ્ટ કર્યા છે.