ગુજરાતમાં બે મહિનામાં 600થી વધુ અનધિકૃત ધાર્મિક માળખાં દૂર કરાયા

ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે તેના 1 ઑક્ટોબરના આદેશમાં સરકારને જાહેર સ્થળો, જાહેર શેરીઓ, જાહેર ભાગો અને અન્ય જગ્યાઓમાંથી “અનધિકૃત ધાર્મિક માળખાં”ની ઓળખ અને દૂર કરવા અંગેનો “પ્રગતિ અહેવાલ” રેકોર્ડ પર મૂકવા જણાવ્યું હતું. હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં અનધિકૃત બાંધકામો અને અતિક્રમણને લગતી 2006ની અરજીની સુનાવણી ચાલી રહી છે.

01.07.2024 થી 10.09.2024 ના સમયગાળા દરમિયાન આવા અનધિકૃત ધાર્મિક માળખા દ્વારા આવરી લેવામાં આવેલ વિસ્તાર, લગભગ બે મહિનામાં, તમામ 604 ધાર્મિક બાંધકામો દૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 318 જિલ્લા વિસ્તારોમાં અને 286 મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં હતા” વધુમાં કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, 87 ધાર્મિક સંરચનાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જાહેર શેરીઓ, સાર્વજનિક ઉદ્યાનો અને અન્ય સાર્વજનિક સ્થળો પરથી 6 માળખાને નિયમિત કરવામાં આવી છે. આ અંગે ગૃહવિભાગના સચિવને વ્યકિતગત ધોરણે વિગતો સાથેનું સોગંદનામું રજૂ કરવા પણ હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી તારીખ 3 ડિસેમ્બરે રાખી હતી.