વરસાદમાં મોઢેરાના સૂર્યમંદિરનો નયનરમ્ય નજારોઃ મોદીએ શેર કર્યો વિડિયો

પાટણ/નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મોઢેરાના સૂર્યમંદિરનો એક નયનમ્ય વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. એમાં સૂર્ય મંદિર પર વરસાદ વરસી રહ્યો છે, જે અદભુત છે. શું તમે ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિર વિશે જાણો છો?  આ કોણે અને ક્યારે બનાવ્યું. હાલ આમાં સૂર્યની પૂજા કેમ બંધ છે?  શું તમે જાણો છો કે ક્યારેક ભગવાન રામ પણ અહી ગયા હતા. 

મોઢેરા સૂર્ય મંદિર ગુજરાતના પાટણથી 30 કિલોમીટર દક્ષિણ તરફ મોઢેરા ગામ છે. ઇરાની શૈલીના આ ઐતિહાસિક મંદિરના સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે 1026માં બનાવ્યું હતું. સોલંકી રાજવંશે સૂર્ય પોતાના કુળદેવતા માનતા હતા, એટલા માટે એ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરમાં ક્યાંય ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.

મંદિરના ગર્ભગૃહ પર સૂર્યની પહેલી કિરણ પડે છે

મોઢેરાના સૂર્ય મંદિરનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું હતું કે સૂર્યોદય થાય ત્યારે સૂર્યનું પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહને પ્રકાશિત કરે. મંદિરના પહેલા હિસ્સામાં ગર્ભગૃહ અને બીજામાં સભામંડપ છે. ગર્ભગૃહની અંદરની લંબાઈ, 51 ફૂટ, નવ ઇંચ અને પહોળાઈ 25 ફૂટ, આઠ ઇંચ છે. મંદિરના સભામંડપમાં કુલ 52 પિલર છે. આ પિલર્સ પર અલગ-અલગ દેવી-દેવતાઓનાં ચિત્ર, રામાયણ અને મહાભારતના પ્રસંગોને સરસ રીતે દર્શાવવામાં આવ્યાં છે.

હાલ સૂર્ય પૂજા નહીં

રાજ્યના મોઢેરા સૂર્ય મંદિર પર અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યું હતું. એમાં મંદિરને ઘણું નુકસાન થયું હતું. એણે મંદિરની મૂર્તિઓને ખંડિત કરી હતી. હાલ આ મંદિરમાં પૂજા નિષેધ છે. હાલ ભારતીય પુરાતત્ત્વ વિભાગ (ASI) એની જાળવણી કરી રહ્યું છે.

ભગવાન રામ અહીં આવ્યા હતા

મોઢેરાના મંદિરનો ઉલ્લેખ કેટલાંય પુરાણોમાં પણ આવે છે. સ્કંદ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં કહેવામાં આવ્યું હતું કે પ્રાચીન કાળમાં મોઢેરાની સાપાસનો વિસ્તાર ધર્મરન્યના નામે જાણીતો હતો. પુરાણો અનુસાર ભગવાન રામે રાવણના સંહાર પછી ગુરુ વશિષ્ઠ એક એવું સ્થાન બતાવવા કહ્યું કે તેઓ ક્યાં જઈને આત્મશુદ્ધિ કરી શકે અને બ્રહ્મ હત્યાથી મુક્તિ મેળવી શકે? ત્યારે ગુરુ વશિષ્ઠે અહીં આવવાની સલાહ આપી હતી.

દેશમાં બે સૂર્ય મંદિર

દેશમાં બે વિશ્વ પ્રસિદ્ધ સૂર્યમંદિર છે. એક દેશના પૂર્વ એટલે કે ઓડિસા રાજ્યમાં છે. એનું નામ કોણાર્ક સૂર્ય મંદિર, જે પ્રસિદ્ધ મંદિર છે. બીજું દેશના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગુજરાતમાં બનેલું મોઢેરા સૂર્ય મંદિર. જે પાટણથી 30 કિલોમીટરે દક્ષિણમાં સ્થિત છે.