ગણેશોત્સવમાં કોરોનાને દૂર કરવા વિઘ્નહર્તાને કાલાવાલા

અમદાવાદઃ ગણેશોત્સવની જ્યારથી સાર્વજનિક રીતે ઉજવણી વધી ગઈ છે, ત્યારથી જુદી-જુદી થિમ સાથેના વિઘ્નહર્તાની વિશાળ મૂર્તિઓ સાથેના પંડાલ જોવા મળે છે,  પરંતુ આ વર્ષે કોરોના વાઇરસને કારણે શ્રદ્ધાળુઓએ ઘરમાં જ ગણપતિની સ્થાપના કરી છે. જોકે ઘરમાં આવેલા ગજાનનને શણગારવાનું અને નવા મેસેજ સાથેની થિમ ઊભી કરવાનું ભક્તો નથી ચૂકતા.

અમદાવાદ શહેરના જગતપુર નજીકના ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલા નિર્માણમાં રહેતાં અનુષ્કા ઐયરે ઘરમાં ગણેશોત્સવ ઉજવતા સોશિયલ મિડિયાની જુદી-જુદી ઇમોજિસ, કોરોના કાળમાં સાવધાની દર્શાવતાં ચિત્રો, એપ્લિકેશન્સ,  સેનિટાઇઝર  મૂક્યાં છે.

અમરાઇવાડીના આદર્શ એપાર્ટમેન્ટમાં રહેતા દીપક જોગીએ કોરોના દૂર થાય એની પ્રાર્થના સાથે કોરોના વાયરસ, સાવધાની સાવચેતી દર્શાવતાં બોર્ડ મૂક્યાં છે.

ગણેશોત્સવ 2020 માં ઠેર-ઠેર લોકોએ ઘેર પધારેલા ગણેશજીને કોરોના રોગચાળા અને અન્ય આફતમાંથી મુક્તિ મળે એવી થિમ તૈયાર કરી ગજાનનને પ્રાર્થનાઓ કરી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)