ગાંધીનગરઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીએ 7 સપ્ટેમ્બર, 2023ના રોજ NIFT ગાંધીનગર કેમ્પસના એમ્ફીથિયેટર ખાતે જન્માષ્ટમી પર્વની ખૂબ જ સફળતા સાથે ઉજવણી કરી હતી.
NIFT ની જીવંત અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ઇવેન્ટ ભગવાન કૃષ્ણના જન્મની ભવ્ય ઉજવણીમાં પરંપરા, સર્જનાત્મકતા અને આધ્યાત્મિકતાને એકસાથે લાવી. પ્રો. ડૉ. સમીર સૂદે દહીહાંડી સમારોહમાં ભાગ લીધો હતો તે આ પ્રસંગની વિશેષતા હતી.
કાર્યક્રમની વિશેષતાઓ આ રહીઃ
- દહીહાંડી સમારંભ ઇવેન્ટની ખાસિયત હતી, જેમાં ટીમોએ નોંધપાત્ર ટીમવર્ક દર્શાવ્યું હતું.
- NIFT ના વિદ્યાર્થીઓએ શાસ્ત્રીય અને લોકનૃત્યો અને સંગીતમય પ્રસ્તુતિઓ સહિત મનમોહક સાંસ્કૃતિક પ્રદર્શન રજૂ કર્યાં. એમનાં પરફોર્મન્સે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
- પરંપરાગત પોશાકનું પ્રદર્શન એક તહેવાર સમાન હતું, કારણ કે NIFT વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ ભારતીય વસ્ત્રોની શૈલીઓ પ્રદર્શિત કરી હતી, જે આપણા સાંસ્કૃતિક વારસાની વિવિધતા અને સમૃદ્ધિને પ્રકાશિત કરે છે.
પ્રોફેસર ડૉ. સમીર સૂદે, NIFT ગાંધીનગરના નિયામક, આ ઇવેન્ટની શાનદાર સફળતા સુનિશ્ચિત કરવામાં તેમના અમૂલ્ય યોગદાન માટે તમામ સહભાગીઓને અભિનંદન આપ્યા હતા.
