રાજ્યમાં કોરોનાના નવા 372 કેસઃ અમદાવાદના 253

ગાંધીનગરઃ રાજ્યમાં અત્યારે ચોથુ લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસોનો આંકડો 15944 સુધી પહોંચી ગયો છે અને કુલ ડિસ્ચાર્જનો આંક 8609 પર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 372 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં પણ 253 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજના દિવસમાં સૌથી વધુ 608 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 20 વ્યક્તિઓનાં કોરોનાને કારણે નિધન થયા છે. આજે અમદાવાદમાં 18 અને સુરતમાં 2 વ્યક્તિઓનાં મોત નિપજયા છે. આમ રાજ્યમાં કોરોનાનાં મોતનો કુલ આંક 980 થયો છે.

રાજ્યમાં 372 નવા કેસમાં અમદાવાદમાં 253, સુરત 45, વડોદરા 34, ગાંધીનગર 8, મહેસાણા-છોટાઉદેપુર 7-7, કચ્છ 4, નવસારી 2 નોંધાયા હતા. જ્યારે રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અન્ય રાજ્યમાં એક-એક કેસ નોંધાયા હતા.