નાણાપ્રધાન નીતિન પટેલનું વેરારહિત, પુરાંતવાળું ઐતિહાસિક બજેટ

ગાંધીનગરઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું ઐતિહાસિક બજેટ  રજૂ કર્યું હતું. તેમણે 2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જે પાછલા બજેટ કરતાં રૂ. 10,000 કરોડથી વધુ છે. તેમણે વિવિધ ક્ષેત્રો માટે અનેક જાહેરાત કરી હતી. તેમણે 2021-22નું 587 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું.

તેમણે આ બજેટમાં નીચે મુજબની દરખાસ્તો મૂકી હતી.

  • 10. 95 લાખ નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા માટે રૂ. 1032 કરોડની ફાળવણી
  • રાજ્ય સરકાર ઓનલાઇન સેવા, ડેટા રિકવરી સેન્ટર સ્થાપવા રૂ. 65 કરોડ ફાળવશે
  • રાજ્યની વિવિધ યુનિવર્સિટીમાં પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. 20 કરોડની જોગવાઈ
  • ધોરણ 9-1૦માં અભ્યાસ કરતા 6.63 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા રૂ.549 કરોડની ફાળવણી
  • તમામ ગ્રામ-પંચાયતોના વોટરવર્ક્સ માટે વિનામૂલ્યે વીજળી, રૂ. 734 કરોડની જોગવાઈ
  • ઈ-રિક્ષાદીઠ 40,000ની સબસિડી અપાશે
  • સૌરાષ્ટ્રમાં રૂ. 675 કરોડના ખર્ચે પીવાના પાણી માટે 143 કિ.મીની બલ્ક લાઇન પાઇપલાઇન નાખવામાં
  • રાજકોટમાં પીપીપી ધોરણે નવું બસ સ્ટેશન અને અન્ય સ્થળો 6 નવાં બસ સ્ટેન્ડ બનશે, એના માટે રૂ. 100 કરોડની જોગવાઈ
  • અમદાવાદની સિવિલ હોસ્પિટલનું અપગ્રેડેશન કરવા માટે રૂ. 87 કરોડની ફાળવણી
  • આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરી બોર્ડ-કોર્પોરેશનમાં બે લાખ યુવાનોની ભરતી થશે
  • નવલખી બંદરમાં 192 કરોડના ખર્ચ નવી જેટ્ટી બનાવાશે
  • નારગોલ અને ભાવનગર બંદર રૂ. 4800 કરોડના ખર્ચે વિકસાવાશે
  • મોરબી, હળવદ જેતપુર, મોરબી અણીયાળી અને ઘાટીલા 70 કિ.મીનો રસ્તો 4 માર્ગી કરાશે
  • રાજ્યમાં સોલર રૂફટોપ માટે રૂ. 800 કરોડની ફાળવણી, ત્રણ લાખ ઘરોને સહાય અપાશે
  • રાજ્યમાં બે મેગા ટેક્સટાઇલ પાર્કનું આયોજન
  • જબુંસરમાં બ્લક ટ્રક ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું આયોજન
  • રાજકોટમાં મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સ્થપાશે
  • કેવડિયાની આસપાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની ફાળવણી
  • અમદાવાદ-ગાંધીનગર-સુરત મેટ્રો માટે રૂ. 568 કરોડની ફાળવણી
  • ટેક્સટાઇલ પોલિસી હેઠળ ઉદ્યોગોને રૂ.1500 કરોડની સહાયની ફાળવણી
  • ગિફ્ટ સિટીમાં મૂડીરોકાણ માટે 100 કરોડની ફાળવણી
  • ગૃહ વિભાગ માટે રૂ. 7960 કરોડની ફાળવણી
  • વેલ શાર્ક ટ્યુરિઝમ સાથે સ્થાનિક રોજગારની નવી યોજના
  • અમદાવાદ-સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવાશે
  • કોરોનાના કારણે સરકારની આવક 40 ટકા ઘટી
  • ઉદ્યોગ-ખાણ વિભાગમાં રૂ.6599 કરોડની ફાળવણી
  • ઊર્જા-પેટ્રોકેમિકલ માટે રૂ.13,034 કરોડની ફાળવણી
  • માર્ગ-મકાન વિભાગ માટે રૂ. 11185 કરોડની ફાળવણી
  • ખરાબાની જમીન ખેડૂતોને ભાડાપેટે અપાશે
  • અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 1500 કરોડની ફાળવણી
  • ડાંગને કેમિકલ ફ્રી ઉત્પાદન કરતો જિલ્લો બનાવવાનો ઉદ્દેશ, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને રૂ.10 હજાર કરોડની સહાય
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ. 652 કરોડની ફાળવણી
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11 હજાર 323 કરોડની ફાળવણી
  • આદિજાતિ વિકાસ માટે રૂ.1349 કરોડની ફાળવણી
  • મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડનું ફાળવણી
  • ગુજરાત કોરોનાની મહાબિમારીથી બહાર આવી રહ્યું છે
  • શિક્ષણ માટે 32 હજાર કરોડની ફાળવણી
  • ધોરણ-1 થી 8 ના આશરે 45 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમયોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજના અંતર્ગત કુલ રૂ. 1044 કરોડની ફાળવણી
  • અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડ
  • પાણી-પુરવઠા માટે 3974 કરોડ ફાળવવામાં આવ્યા છે.