આપને ભરૂચની સીટ અપાતાં ફૈઝલ પટેલ બળવાના મૂડમાં

ભરૂચઃ લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય ગરમાવો આવી રહ્યો છે. સામાન્ય ચૂંટણીને લઈને  ગુજરાતમાં પણ ઇન્ડિયા ગઠબંધનમાં ઘમસાણ જોવા મળી રહ્યું છે, કેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ગરમાટો છે.આમ આદમી પાર્ટીએ આ લોકસભા ક્ષેત્રમાં જતા ડેડિયાપાડાથી વિધાનસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે.

જોકે અહીં ભરૂચની સીટ પર પેચ ફસાયો છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિવંગત અહમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે ભરૂચ સીટ પર કોંગ્રસી ઉમેદવાર જાહેર કરવા ભાર મૂક્યો છે. તેમણે ત્યાં સુધી કહ્યું છે કે જો એ સીટ આપને આપવામાં આવશે તો તેઓ અલાયન્સને ટેકો નહીં આપે. આ સીટથી અહેમદ પટેલના પુત્રી મુમતાઝ લડવાની તૈયારી કરી રહી છે.

અહેમદ પટેલના પુત્રએ ભલે નારાજગી વ્યક્ત કરી છે, પણ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે કેન્દ્રીય નેતૃત્વ જે નિર્ણય કરશે, એને પ્રદેશ કોંગ્રેસ સમિતિ એનો સ્વીકાર કરશે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી બેથી ત્રણ સીટો પર લડે એવી શક્યતા છે.પાર્ટીએ હજી ભરૂચ અને ભાવનગરની સીટો પર ઉમેદવારો જાહેર કર્યા છે. ભરૂચે લોકસભા સીટ કોંગ્રેસે છેલ્લે 1984માં જીતી હતી, પાર્ટીના નેતા અહમદ પટેલ ત્યારે ત્રીજી વાર સાંસદ બન્યા હતા. જોકે ત્યાર બાદ પાર્ટી 10 લોકસભા ચૂંટણી હારી ચૂકી છે. 18મી લોકસભા ચૂંટણીમાં આપ ભાજપને ટક્કર આપવા ઇચ્છે છે. એટલે એ સીટ પટેલને મળવી જોઈએ. અહેમદ પટેલને આ સીટ પર ચંદુભાઈ દેશમુખે હરાવ્યા હતા., તેઓ સતત ચાર વાર જીત્યા હતા.

 

,