અમદાવાદઃ ટાગોર હોલમાં માણવા મળશે આ અદભૂત ફિલ્મો…

અમદાવાદ: દેશમાં ઉજવાઈ રહેલ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં શહેરીજનો માટે પાલડીના ટાગોર હોલ ખાતે ૪ થી ૬ માર્ચ દરમ્યાન ગાંધીજીના જીવન પર આધારિત અને અન્ય ફિલ્મો નિ:શુલ્ક દર્શાવવામાં આવશે.


4 માર્ચે એટલે કે આજથી બપોરે ૧૨ કલાકે ‘ગાંધી’ ફિલ્મથી તેની શરૂઆત થશે. 5 માર્ચના રોજ સવારે ૯:૦૦ કલાકે ‘લગે રહો મુન્નાભાઈ બપોરે’, ૧૨:૦૦ વાગ્યે ‘હેલ્લારો’. 6 માર્ચના રોજ સવારે ૦૯:૦૦ વાગે ‘ધ મેકિંગ ઓફ મહાત્મા’, બપોરે ૧૨:૦૦ કલાકે ‘આઇ. એમ. કલામ’ ફિલ્મ દર્શાવવામાં આવશે.

ફિલ્મ સમારોહ નિદેશાલય દિલ્હી દ્વારા આયોજિત આ ત્રિ-દિવસીય ફિલ્મ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની માહિતી આપવા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદ કલેક્ટર કે.કે. નિરાલાએ કહ્યું કે, ફિલ્મો સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોને સુંદર કરનારું માધ્યમ છે તેમણે વધુમાં જણાવ્યું કે, ગાંધીજી વિશેની ફિલ્મ દ્વારા નગરજનોને સ્વતંત્રતા સંગ્રામથી વાકેફ થશે, તે સમયે કેવી સ્થિતિ હતી તેની જાણકારી પણ નવી પેઢી ને મળશે. ફિલ્મ મહોત્સવમાં નિર્દેશિત થનાર ફિલ્મોનો વધુ ને વધુ બાળકો-વિદ્યાર્થીઓ તેનો લાભ લે તેવી અપીલ તેમણે કરી હતી.