ગીર સોમનાથના તાલાલા પંથકમાં ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

ગુજરાતી ધરા ફરી એક ધ્રૂજ હતી. આ વખતે કચ્છ જિલ્લામાં નહીં પરુંત ગીર સમોનાથના તાલાલા ગીર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તાર ધાવા, સુરવા, માધુપર, જાંબુર અને આંકોલવાડી સહિતના પંથકમાં ધરા ધ્રૂજી છે. સામાન્ય ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોઈ જાનહાનિના સમાચાર નથી.

સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે ગીરસોમનાથમાં ભૂકંપનો આંચકો આવ્યાના સમાચાર સામે આવ્યા છે. બપોરે 2.47 કલાકે ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની વિગતો મળી રહી છે. રિકટર સ્કેલ પર ભૂકંપની 1.6 ની તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કીમી. દૂર નોંધાયું છે. ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સમગ્ર પથંકમાં ભયનો માહોલ સર્જાયો હતો, જોકે સદનસીબે ભૂકંપમાં કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાન થયાના હજુ સુધી કોઈ પુરાવા કે અહેવાલ મળ્યા નથી.