સુરત અને ભરૂચમાં ભૂકંપનો આંચકો

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચમાં આ ભૂકંપનો બપોરે 3.40 કલાકે આંચકો અનુભવાયો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3ની હતી. આ ભૂકંપનો આંચકો બારડોલી સુધી અને બીજી બાજુ, ગોધરા દાહોદ, હાલોલ અને પંચમહાલ સુધી, વડોદરામાં સાવલી સુધી આ આંચકો અનુભવવામાં આવ્યો હતો.

આ ભૂકંપ 70 કિલોમીટર સુધી અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાને લીધે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આંચકાને લીધે સુરતમાંથી મોટી ઇમારતોમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા. હાલ કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચ નજીક 36 કિલોમીટર દૂર હતું.