આગામી 4-5 દિવસ ગુજરાત માટે મહત્વના

ગાંધીનગરઃ ગુજરાત કોરોના પોઝિટિવના કુલ 87 કેસ સામે આવ્યા છે. જેમાંથી 7 દર્દી સાજા થયા છે. જ્યારે 7 દર્દીઓના મૃત્યુ થયા છે. વડોદરાના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીનું આજે સવારે મોત નીપજ્યું છે. રાજ્યમાં અમદાવાદ હોટસ્પોટ જાહેર કરાયું છે. ત્યારે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યની સ્થિતિ વિશે માહિતી આપી હતી.

સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં કોરોના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલની સાંજની પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતમાં 87 કેસો સામે આવ્યા બાદ આજે એક પણ કેસ સામે આવ્યો નથી. એક રીતે જોવા જઈએ તો ગુજરાત માટે રાહતના સમાચાર છે. ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી.

જોકે આગામી 4થી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે. ગુજરાતમાં 71 દર્દી સ્ટેબલ છે. 2 લોકો વેન્ટીલેટર ઉપર છે. આવનારા ચારપાંચ દિવસ ખુબ અઘરા છે અને કસોટીના છે. જે લોકો મુસાફરી કરી ને આવ્યા હોય અથવા તાવ જેવા લક્ષણો દેખાતા હોય. જે પોઝિટિવ વ્યક્તિ છે તેમના સંપર્કમાં આવ્યા હોય. તેવા લોકો મેડિકલ ચેકઅપ કરાવી લે. 104 અથવા તો 108 કરીને તુંરત જ સારવાર લે અને રિપોર્ટ કરાવી લે.

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં અત્યારસુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે.

રાજ્યમાં અમદાવાદ હોટસ્પોટ જાહેર થયું છે. અમદાવાદમાં સૌથી વધારે 31 કેસ અને 03 મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 12 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 11 કેસ, રાજકોટમાં 10 કેસ, વડોદરામાં 09 કેસ અને 1 મૃત્યુ, ભાવનગરમાં 6 કેસ અને 2 મૃત્યુ, પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ જ્યારે કચ્છ, મહેસાણા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં સૌથી વધારે 31 કેસ અને 03 મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 12 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 11 કેસ, રાજકોટમાં 10 કેસ, વડોદરામાં 09 કેસ અને 1 મૃત્યુ, ભાવનગરમાં 6 કેસ અને 2 મૃત્યુ, પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ જ્યારે કચ્છ, મહેસાણા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે.