મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઇ પહોંચીને રતન ટાટાને શ્રધ્ધાંજલિ આપી

આજે દેશમાં શોકનો માહોલ છે, કેમ કે ભારતના અનમોત રત્ન એવા રતન ટાટાની નિધન થયુ છે. ત્યારે દેશ વિદેશના મહાનુંભાવે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈ ખાતે પહોંચી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને દેશના ઔદ્યોગિક નક્શે આગવું સ્થાન પામેલા ટાટા ગ્રુપના સ્વ. રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવા મુંબઈ પહોચ્યા હતા. રતન ટાટાનું ગઈ મોડી રાત્રે અવસાન થયું છે. મુખ્યમંત્રી પાર્થિવ દેહના દર્શન કરી શ્રદ્ધાસુમન પાઠવી બપોર બાદ ગાંધીનગર પરત આવશે.

રતન ટાટાના નશ્વર દેહને વરલીના પારસી સ્મશાનભૂમિમાં લાવવામાં આવશે. સૌ પ્રથમ મૃતદેહને પ્રાર્થના મંડપમાં રાખવામાં આવશે. હોલમાં લગભગ 200 લોકો હાજર રહી શકે છે. પ્રાર્થના લગભગ 45 મિનિટ સુધી ચાલશે. પ્રાર્થનાસભામાં પારસી પરંપરામાં ‘ગેહ-સારનુ’ વાંચવામાં આવશે. નશ્વરદેહના મોં પર કપડાનો ટુકડો મૂકીને ‘અહનવેતિ’નો આખો પહેલો પ્રકરણ વાંચવામાં આવશે. આ એક શાંતિ પ્રાર્થનાની પ્રક્રિયા છે. પ્રાર્થના પ્રક્રિયા પૂર્ણ થયા પછી નશ્વરદેહને ઇલેક્ટ્રિક અગ્નિદાહમાં મૂકવામાં આવશે. આ રીતે અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ થશે. રતન ટાટાના નશ્વર દેહને તિરંગાથી લપેટવામાં આવ્યો છે. નશ્વરદેહને નરીમાન પોઈન્ટ ખાતેના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (NCPA)માં રાખવામાં આવ્યો છે. તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. બપોરે 3.30 વાગ્યા સુધી લોકો અંતિમ દર્શન કરી શકશે. અંતિમ સંસ્કાર મુંબઈના વર્લી વિસ્તારમાં સાંજે 4 વાગ્યે કરવામાં આવશે.