કેડિલા ફાર્માએ વૃક્ષારોપણ ઝુંબેશ અને મેડિકલ કેમ્પ યોજ્યો

અમદાવાદ: દેશની સૌથી જૂની અને સૌથી મોટી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓમાં સમાવેશ પામતી કેડિલા ફાર્માસ્યુટિકલ્સે તેના સ્થાપક ઇન્દ્રવદન એ. મોદીની સ્મૃતિમાં તેમની જન્મજયંતી પ્રસંગે કેડિલાના વિવિધ સંકુલોમાં રક્તદાન શિબિર, વૃક્ષારોપણ ઝુંબેશ અને મેડિકલ કેમ્પનુ આયોજન કર્યું હતું.

રકતદાન શિબિરને કંપનીના કર્મચારીઓ તરફથી ખૂબ જ પ્રોત્સાહક પ્રતિભાવ હાંસલ થયો હતો. એ દિવસે 71,000 મિ.લી.રક્તદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીનાં વિવિધ સ્થળે સેંકડો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કંપનીએ ચાલુ વર્ષના પ્રથમ બે માસમાં 12,900 વૃક્ષ સહિત ચાલુ વર્ષે આશરે એક લાખ વૃક્ષનુ વાવેતર કર્યું છે.

શરણમ હોસ્પિટલ ધોળકા અને એસ્ટ્રલ પાઇપ્સના સહયોગથી કંપનીની CSR પ્રવૃત્તિના નેજા હેઠળ એક મલ્ટી-સ્પેશિયલિટી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 500થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. જે દર્દીઓને વધુ સારવારની જરૂર હોય તેમને કાકા-બા હોસ્પિટલ, હાંસોટ, આંખની હોસ્પિટલ, બારેજા અને શરણમ હોસ્પિટલ ધોળકામાં સારવાર આપવામાં આવશે.

ઇન્દ્રશીલ કાકા-બા અને કલાબુધ ચેરિટેબલ ટ્રસ્ટ કે જે  કંપનીની ચેરિટેબલ શાખા છે, તેના ટ્રસ્ટી ભરત ચાંપાનેરિયા જણાવે છે કે કેડિલા ફાર્માસ્યુટિકલ્સે તેના સ્થાપક ઇન્દ્રવદન એ. મોદીના વિઝન અને વચન અનુસાર કેડિલા કોર્પોરેટ જવાબદારીના ભાગરૂપે દરેક પ્રકારે સમાજને કશુંક પરત કરવાની ભાવના નિભાવી રહી છે. કંપનીના કર્મચારીઓએ મોદીની સ્મૃતિમાં રકતદાન શિબિર અને વૃક્ષારોપણ ઝુંબેશનો આયોજન કર્યુ હતું. કોર્પોરેટ જવાબદારીના ભાગ તરીકે ટ્રસ્ટ શિક્ષણ, આરોગ્ય મહિલા સશક્તીકરણ અને રોજગાર નિર્માણ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં સહયોગ આપે છે.