શિક્ષક કભી સાધારણ નહીં હોતા..

ચાણક્ય એ કહ્યું છે કે…’શિક્ષક કભી સાધારણ નહીં હોતા..’ કારણ ગણિત, વિજ્ઞાન, ભાષા, મનોરંજન કે રમત ગમત માં નિષ્ણાત થવા માટે સારા શિક્ષકની જરૂર પડે છે.

શિક્ષણ ક્ષેત્રને સારો અને સાચો માર્ગ બતાવનારા શિક્ષકો ની સખત જરૂર પડે છે. કારણ પોતાના ક્ષેત્ર માં મોટા પદ પર બિરાજમાન માણસો પણ એ ઉંચાઈ સુધી પહોંચાડનારા એ શિક્ષકના એક વિચાર ને જીવનભર યાદ રાખે છે. 5 સપ્ટેમ્બર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ દિવસ છે.

સર્વપલ્લી રાધાકૃષ્ણન એક ઉમદા વિદ્યાર્થી અને શ્રેષ્ઠ શિક્ષક હતા. એમની યાદ માં ભારત માં 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિન ઉજવવામાં આવે છે. શાળા ઓ માં વિવિધ કાર્યક્રમો થાય છે. શિક્ષકો દિવસ ની ઉજવણી ના ભાગરૂપે કેટલીક શાળા ઓ ભવિષ્ય ના શિક્ષક તૈયાર કરવા તેમજ શિક્ષકો કેવી રીતે તૈયારી કરી વિદ્યાર્થીઓ ને ભણાવે છે..? એ માટે તેજસ્વી બાળકોને એક દિવસ માટે શિક્ષક બનાવે છે.

વિષયની રુચિ અને આવડત પ્રમાણે શિક્ષકની જેમ જ તૈયારી કરી વર્ગખંડમાં એક દિવસ માટે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય કરે છે. શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન પણ થાય છે.

અમદાવાદ શહેરના નારણપુરા માં વિજય નગર ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ માં વિદ્યાર્થીઓ ના નેતૃત્વમાં એ શૈક્ષણિક કાર્ય કર્યુ હતુ. આ સાથે ઘાટલોડિયા વિસ્તારની અક્ષર વિદ્યાલય ના પ્રાંગણ માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શહેર રાજ્ય ની અનેક શાળાઓ ના શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન પણ કરવા માટે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું .

(પ્રજ્ઞેશ વ્યાસ)