શિખાઉ માટે ફ્રેન્ડલી ટેક્સ્ચર આર્ટ વર્કશોપ યોજાશે

અમદાવાદઃ દરેક બાળકમાં સર્જનાત્મક ઇચ્છા હોય છે, જેને શોધવાની અને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. 12 કે તેથી વધુ વધુ વયનાં બાળકો માટે શનિવારે સાંજે ચારથી છ કલાક દરમ્યાન ટેક્સ્ચર આર્ટ વર્કશોપ યોજવામાં આવશે. ખાસ કરીને શિખાઉ બાળકો આ વર્કશોપમાં ભાગ લઈ શકશે.

આ વર્કશોપમાં ટેક્સ્ચર આર્ટની પાયાની બાબતો શીખવવામાં આવશે. દરેક ભાગ લેતા બાળકને કેન્વાસ બોર્ડ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવશે અને તેમને ટેક્સ્ચર આર્ટ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

આ સાથે 12×12નું કેન્વાસ બોર્ડ પણ તમે સાથે લઈ જઈ શકશો. આ ટેક્સ્ચર આર્ટ માટે સંપર્ક સાધોઃ 079/ સ્ટોરીઝ, શાશ્વત બંગલોઝની સાંમે રાજપથ રોડ, બોડકદેવ, અમદાવાદ.