વિધાનસભાની પેટાચૂંટણીમાં 47 ટકા નોંધાયું મતદાન

રાજ્યમાં લોરશાહીના મહાપર્વના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે બપોરે 3 વાગ્યા સુધીમાં લગભગ 47.03 ટકા જેટલું મતદાન થયું જેમાં સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામેં નોંધાયું છે. વલસાડમાં હાલ વલસાડ જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાયું છે.

આ ઉપરાંત રાજ્યની 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે. જેમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. રાજ્યની પાંચ વિધાનસભાની પેટાચૂંટણીમાં સરેરાશ 47 ટકા મતદાન થયું છે. વાઘોડિયા બેઠક પર સૌથી વધુ 52.76 ટકા, તો વિજાપુર બેઠક પર 50.53 ટકા, માણાવદરમાં સૌથી ઓછુ 40.09 ટકા મતદાન નોંધાયું છે.

વિધાનસભાની કુલ 5 બેઠકો પર 24 ઉમેદવારો મેદાને છે. જેમાંથી સૌથી વધુ વિજાપુર સીટ પર 12 ઉમેદવારો જ્યારે વાઘોડિયામાં સીટ પર માત્ર 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વાઘોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સંપત્તિ મામલે સૌથી આગળ છે. તેની કુલ સંપતિ 153 કરોડથી વધી છે. વાઘોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે મોટી સંપત્તીની સાથે તેમના પર સૌથી વધુ દેવુ પણ છે. ધર્મેન્દ્રસિંહ પર 38 કરોડથી વધુનું દેણું છે.