ગુજરાતના જળાશયોમાં ૭૨ ટકાથી વધુ પાણી, ઉનાળા માટે પૂરતું 

ગાંધીનગર: ગુજરાતના મુખ્ય જળાશયોમાં હાલમાં તેમની કુલ ક્ષમતાના ૭૨.૪૯ ટકા પાણી સંગ્રહ છે. રાજ્યના જળ સંસાધન વિભાગ અનુસાર આગામી ઉનાળા માટે પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની ઉપલબ્ધ છે. આ વર્ષે ચોમાસા દરમિયાન સતત અને ભારે વરસાદ બાદ આ વધારો થયો છે. રાજ્યના સરેરાશ વરસાદના ૧૨૮ ટકાથી વધુ વરસાદ આ વર્ષે નોંધાયો હતો.૫ માર્ચ સુધીમાં, રાજ્યના મુખ્ય જળાશયોમાં કુલ પાણીનો સંગ્રહ ૬.૪૬ લાખ મિલિયન ઘન ફૂટ (એમસીએફટી) થયો છે. જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૪.૧૫ ટકાનો વધારો દર્શાવે છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશય તેની ક્ષમતાના ૭૪ ટકાથી વધુ ભરાઈ ગયું છે, જે ૨.૪૭ લાખ MCFT જેટલું છે.

દક્ષિણ ગુજરાતના જળાશયોમાં સામૂહિક રીતે ૨.૩૪ લાખ MCFTથી વધુ પાણી સંગ્રહિત છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. મધ્ય ગુજરાતમાં ૬૫,૧૭૯ MCFT, ઉત્તર ગુજરાતમાં ૪૧,૮૪૨ MCFT, સૌરાષ્ટ્રમાં ૫૩,૬૨૧ MCFT અને કચ્છમાં ૪,૩૯૨ MCFT પાણી સંગ્રહિત છે. કુલ મળીને, રાજ્યભરમાં ૬,૪૬,૫૫૬ MCFT પાણી સંગ્રહિત છે, જે કુલ ક્ષમતાના ૭૨.૪૯ ટકા જેટલું છે.ગુજરાતમાં કુલ 207 જળાશયો અને બંધ છે, જેમાં સૌરાષ્ટ્રમાં 141, ઉત્તર ગુજરાતમાં 15, મધ્ય ગુજરાતમાં 17, દક્ષિણ ગુજરાતમાં 13 અને કચ્છમાં 20નો સમાવેશ થાય છે. આગામી ઉનાળાના મહિનાઓ દરમિયાન પીવાના પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે જળસ્તર સતત રહેવાની અપેક્ષા છે. વિભાગે ઉમેર્યું હતું કે રાજ્યભરમાં શહેરી અને ગ્રામીણ બંને જરૂરિયાતો માટે પાણીની ઉપલબ્ધતા જાળવવા માટે દૈનિક દેખરેખ અને વ્યવસ્થાપન ચાલુ રહેશે.