ભાવનગરમાં મહિલા સાથે ચાર આરોપીઓએ આચર્યું દુષ્કર્મ

ભાવનગરઃ રાજ્યમાં પણ હવે દિવસે-દિવસે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ભાવનગરમાં મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્રણ આરોપીઓએ મહિલાને પકડી રાખી અને એક આરોપીએ દુષ્કર્મ આચર્યું છે.

દુષ્કર્મીઓએ નિર્દયતાની તમામ હદ વટાવતું કર્યું છે. નરાધમ આરોપીઓએ દુષ્કર્મ આચરી મહિલાના ગુપ્તભાગમાં મરચું નાખ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પ્રેમ પ્રકરણમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની શક્યતા છે. મુખ્ય સુત્રધાર મનસુખ મકવાણા, પિન્ટુ મકવાણા સહિત ચાર સામે ગુનો નોંધાયો છે.

ભાવનગર શહેરમાં રહેતી એક મહિલા સાથે ચાર નરાધમો દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા છે. દુષ્કર્મની ઘટનામાં ત્રણ આરોપીઓએ મુખ્ય આરોપીની મદદ કરી હતી. આરોપીઓએ મહિલાને ઘરેથી અપરણ કરીને કારમાં ફરાર થયા હતા.

આ નરાધમોએ નિર્દયતાની તમામ હદો વટાવી હતી. જેને કારણે મહિલાની સ્થિત ખરાબ થતાં મહિલાને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. તેમજ મહિલાને ઓબ્ઝર્વેશનની અંદર રાખવામાં આવી છે. જોકે આ સમગ્ર ઘટના અંગે ઘોઘા રોડ બી. ડિવિઝન પોલીસ મથકમાં મુખ્ય સુત્રધાર મનસુખ મકવાણા તેમજ મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા અને અજાણ્યા ઈસમ એટલે કુલ ચાર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.