નાણાપ્રધાનનો બજેટમાં બે ઘરો પર ટેક્સ છૂટનો પ્રસ્તાવ  

અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન મધ્યમ વર્ગ માટે સમરકંદ બુખારા ઓવારી ગયા છે. તેમણે એક બાજુ ઇન્કમ ટેક્સમાં રૂ. 12 લાખ પર છૂટનું એલાન કર્યું છે, જ્યારે બીજી તરફ ખાનગી સંપત્તિવાળા લોલોને રાહત આપી છે. બજેટમાં એલાન મુજબ હવે ટેક્સપેયર્સે હવે બે ઘરો માટે ટેક્સમાં છૂટ માટે દાવો કરી શકે છે. પહેલાં એ માત્ર એક પ્રોપર્ટી માટે જ હતી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કરદાતાઓ કોઈ પણ શરત વિના બે કબજાવાળી મિલકતોના વાર્ષિક મૂલ્ય પર કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં. હાલમાં આવા કરદાતાઓ અમુક શરતોને આધીન કબજાવાળી મિલકતો પર ઝીરો વાર્ષિક ટેક્સનો દાવો કરી શકે છે. કરદાતાઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આવી બે કબજાવાળી મિલકતોનો લાભ કોઈ પણ શરતો વિના લંબાવવાનો પ્રસ્તાવ છે.

સરકારે આવકવેરા કાયદાની કલમ 23ની પેટા કલમ બેમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે, જેમાં રહેણાક સંપત્તિના વાર્ષિક મૂલ્ય પર લાગતા ટેક્સ સંબંધિત છે. બજેટમાં કહેવામાં આવ્યું છે કે કાયદાની પેટા કલમ (2)માં જોગવાઈ છે કે જો મકાનમાલિકી પોતાના ઘરનો ઉપયોગ રહેઠાણ માટે કરે અથવા રોજગાર, ધંધા કે વ્યવસાયને કારણે અન્ય સ્થળે મિલકત હોય, તેવા સંજોગોમાં આવા મકાનની મિલકતની વાર્ષિક કિંમત પર ઝીરો ટેક્સ હોવાનું માનવામાં આવે છે. બજેટમાં કહેવામાં આવ્યું છે કે પેટા કલમ (4)માં જોગવાઈ છે કે પેટા કલમ (2)ની જોગવાઈ માત્ર બે મકાન પર મલિકી ધરાવવાના સંબંધમાં લાગુ પડશે.

નાણાં મંત્રીએ બજેટમાં મકાનના ભાડા અંગે પણ મોટી જાહેરાત કરી છે. તેમણે વાર્ષિક ભાડા પર TDS કપાતની મર્યાદા 2.4 લાખથી વધારી છ લાખ રૂપિયાનો પ્રસ્તાવ રાખ્યો છે. તેમણે બજેટ ભાષણમાં કહ્યું કે હું TDS કપાતના દરો અને મર્યાદાઓને ઘટાડીને સ્ત્રોત પર કર કપાતને તર્કસંગત બનાવવાનો પ્રસ્તાવ મૂકું છું.