કરણ જોહરનો ‘પદ્મશ્રી’ પાછો લઈ લોઃ કંગનાની સરકારને વિનંતી

નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતે ફરી એક વાર ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ મામલે પ્રોડ્યુસર કરણ જોહર પર નિશાન સાધ્યું છે અને સરકારને વિનંતી કરી છે કે કરણ જોહરને આપેલો ‘પદ્મશ્રી’ પુરસ્કાર પાછો લઈ લેવામાં આવે. તેણે કરણ જોહર પર એન્ટિ-નેશનલ ફિલ્મ બનાવવાનો પણ આરોપ મૂક્યો છે. તેણે એમ પણ કહ્યું છે કે કરણ જોહરે તેને ધમકી આપી છે અને સુશાંત સિંહ રાજપૂતની કેરિયર પણ બરબાદ કરી હતી.

કંગના રનોત ટીમે એક ટવીટ કર્યું હતું કે હું કેન્દ્ર સરકારને પ્રાર્થના કરું છું કે કરણ જોહર પાસેથી પદ્મશ્રી સન્માન પાછું લેવામાં આવે. તેણે કહ્યું હતું કે એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર મને ખુલ્લેઆમ ધમકી પણ આપી છે અને મને ઇન્ડસ્ટ્રી છોડવા માટે કહ્યું હતું. તે સુશાંત સિંહ રાજપૂતની કેરિયર ખતમ કરવા માટે જવાબદાર છે. ઉરી હુમલા દરમ્યાન પણ તેણે પાકિસ્તાનને સપોર્ટ કર્યો હતો અને હવે આપણી સેનાની સામે દેશવિરોધી ફિલ્મ બનાવી છે.

કંગના રનોત ટીમે એક શખસના ટ્વીટને રિટ્વીટ કરતાં આ બધુ લખ્યું છે. સૌમ્યા દીપ્તાએ ટ્વિટર પર શ્રી વિદ્યા રાજનની ફ્લાઇટ લેફ્ટેનન્ટની પોસ્ટ શેર કરી છે. સૌમ્યા દીપ્તાનું કહેવું છે કે શ્રીવિદ્યા રાજન ઉધમપુર એરફોર્સ બેઝમાં ગુંજન સકસેનાની કોર્સ-મેટ હતી. તેણે પુષ્ટિ કરી છે કે આર્મ રેસલિંગ સીન સંપૂર્ણ રીતે ખોટો છે. તેમણે કહ્યું હતું કે ગુંજન સક્સેના ફેક્ટ્સને તોડીમરોડીને રજૂ કર્યા છે. શ્રીવિદ્યા રાજને પોતાના ફેસબુક પોસ્ટમાં પણ એનો ખુલાસો કર્યો છે.

ગુંજન સક્સેના અને શ્રીવિદ્યા રાજન

એની સાથે સૌમ્યા દીપ્તાએ ગુંજન સકસેના અને શ્રીવિદ્યા રાજનની ટ્રેનિંગ દરમ્યાનના ફોટો શેર કર્યા છે. આ ફોટો શેર કરતાં તેમણે લખ્યું હતું કે ગુંજન સક્સેના અને શ્રીવિદ્યા રાજન ઉધમપુર બેઝમાં ટ્રેનિંગ દરમ્યાન. ગુંજન એર ફોર્સ અધિકારી નથી કે જેણે એકલાએ ટ્રેનિંગ લીધી હતી. શ્રીવિદ્યા પણ પહેલી મહિલા હતી, જેણે કારગિલમાં તહેનાત કરવામાં આવી હતી. ગુંજન તેમના ગયા પછી ત્યાં ગઈ હતી.