બુદ્ધિમાન હોવાનો ઢોંગ કરતા લોકોને અમિતાભની આ ટ્વીટર સલાહ

નવી દિલ્હી: બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન આજકાલ તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે તેમ છતાં પણ તેમને જ્યારે પણ નવરાશ મળે ત્યારે તે સોશિયલ મીડિયા પર તેમની હાજરી બતાવે છે. હાલમાં જ તેમનું એક ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. અભિતાભ બચ્ચને ટ્વીટમાં લખ્યું કે, એક ઉત્કૃષ્ટ બુદ્ધિમાન વ્યક્તિ એ છે જે મૂર્ખ હોવાનો ઢોંગ કરે, અને એ પણ એ વ્યક્તિ સામે કે જે બુદ્ધિમાન હોવાનો ઢોંગ કરે છે. અમિતાભના આ ટ્વીટ પર તેના ચાહકો અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અમિતાભ બચ્ચનનું આ 3454મું ટ્વીટ છે. આ અગાઉ પણ તેમણે ટ્વીટ મારફતે લોકોને સલાહ આપતા લખ્યું હતું કે, કોઈ તમારા સારા કાર્ય પર શંકા કરે તો તેને કરવા દેવી જોઈએ…કારણ કે શંકા હંમેશા સોનાની શુદ્ધતા પર જ કરવામાં આવે છે કોલસાની કાળાશ પર નહીં.

મહત્વનું છે કે, અમિતાભ બચ્ચન જલ્દી જ પોતાની ચાર ફિલ્મો દ્વારા બોલીવુડમાં ધમાલ મચાવવા આવી રહ્યા છે. આ ચાર ફિલ્મોમાં ચેહરે, બ્રહ્માસ્ત્ર, ઝુંડ અને ગુલાબો-સિતાબોનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત બિગ બી કોન બનેગા કરોડપતિની 11મી સિઝન પણ હોસ્ટ કરી હતી જે હવે પૂર્ણ થઈ ગઈ છે.