ઐશ્વર્યા રાયે પતિ અભિષેક બચ્ચનનું છોડ્યું ઘર?

મુંબઈઃ છેલ્લા કેટલાક સમયથી અટકળો વહેતી થઈ હતી કે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્નજીવનમાં કંઈ મુશ્કેલીઓ ચાલી રહી છે અને બંને વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે અને બંને એકમેકથી છૂટાછેડાની લેવાના છે, પરંતુ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગી રહ્યું છે.

હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચન અમિતાભ બચ્ચન અને તેના દોહિત્ર અગત્સ્ય નંદાની ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક ફંકશનમાં જોવા મળ્યા હતા. આ ઇવેન્ટમાં એક્ટ્રેસ ઓલ બ્લેક લુકમાં નજરે પડતી હતી. વળી, ઐશ્વર્યાને પતિ અભિષેક બચ્ચનથી વાત કરતા અને હસતા પણ જોવા મળી હતી. તે તેના સસરા અમિતાભ સાથે પણ વાત કરતાં જોવા મળી હતી.નજરે જોના લોકોના જણાવ્યા મુજબ ઐશ્વર્યા રાયના ચહેરા પર હળવાશ જોવા મળતી હતી અને તે હસી-હસીને અભિષેક તથા અમિતાભ સાથે વાતો કરતી હતી. ‘ધ આર્ચીઝ’ ફેમ અગત્સ્ય નંદા અને ઐશ્વર્યાની માતા બ્રિન્દા રાય પણ સાથે જોવા મળ્યા હતા.

 ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે લાંબા સમયથી અણબનાવ હોવાનું કહેવાય છે. જેના પગલે તેઓ છૂટાછેડા લે તેવી અટકળો હતી. આ અટકળો વ્યાપક બન્યા બાદ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર સાંકેતિક પોસ્ટ મૂકી હતી. જેમાં બચ્ચને જણાવ્યું હતું કે જે કહેવાનું હતું અને બોલવાનું હતું, તે કહેવાઈ ગયું છે અને હવે કંઈ બાકી નથી. અમિતાભ બચ્ચનની આ પોસ્ટના અનેક અર્થ નીકળી શકે તેમ હતા. જો કે તેઓ હકીકતમાં શું કહેવા માગતા હતા, તે આરાધ્યાની સ્કૂલમાં જોવાયેલા દ્રશ્ય પરથી સમજાયું હતું. માત્ર અભિષેક અને ઐશ્વર્યા નહીં, પરંતુ અમિતાભ બચ્ચન, અગત્સ્ય નંદા અને ઐશ્વર્યાના માતા પણ સાથે જોવા મળ્યા હતા. આમ,બચ્ચન પરિવારમાં કોઈ ખટરાગ હોવાની અટકળો પર પૂર્ણ વિરામ મૂકવા માટે કંઈ બોલ્યા વગર પ્રયાસ થયો હોય તેમ મનાય છે.