ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 148મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી થયા હતા. ભગવાન જગન્નાથજીનાં દર્શન કરીને મુખ્યપ્રધાન ધન્યતા અનુભવી હતી.
અમદાવાદમાં યોજાનાર ૧૪૮મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ શ્રી જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી થઈને ભગવાન જગન્નાથજીનાં દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે, ભગવાન… pic.twitter.com/QGyyMnHrcN
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 26, 2025
અમદાવાદના જગન્નાથજી મંદિરે પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યાં બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગો માટે સામાજિક સમરસતા મહોત્સવ બની છે. આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે અને લોકોને સામે ચાલીને દર્શન આપવાના છે. મુખ્યપ્રધાને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પર્યાયરૂપ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુર ખાતે ભારતીય જનતા પાર્ટી – સરસપુર રખિયાલ વોર્ડ આયોજિત ભજન સંધ્યા કાર્યક્રમમાં પક્ષના સાથીઓ અને સ્થાનિક શ્રદ્ધાળુઓની સાથે ઉપસ્થિત રહેવાનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો.
આ અવસરે, રથયાત્રામાં પધારતા ભક્તજનો માટે ભોજન પ્રસાદ બનાવતા રસોડાની મુલાકાત… pic.twitter.com/myDBDtCfpF
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 26, 2025
રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે, ભગવાન જગન્નાથજીની કૃપા ગુજરાત અને સમગ્ર દેશ પર સદાય વરસતી રહે તે માટે ભગવાનન જગન્નાથજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
