RCBની વિજય યાત્રા પહેલાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગઃ 10નાં મોત

બેંગલુરુઃ IPL ઇતિહાસમાં સૌપ્રથમ વાર ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની વિજય યાત્રા પહેલાં ઉજવણીનો માહોલ શોકમાં બદલાઈ ગયો હતો. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારે ભીડને કારણે નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકોને ઈજા પહોંચ્યાની આશંકા છે.

આ ઘાયલોમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર છે. આ તમામને બોરિંગ અને વૈદેહી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે RCBની જીતનું ઉજવણી કરવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આશરે છ લાખ લોકો એકત્રિત થયા હતા.

IPL 2025ની 3 જૂનને ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 6 રને હરાવી પોતાની પહેલી ટ્રોફી જીતી હતી. ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલી અને અન્ય ખેલાડીઓએ જાહેરાત કરી હતી કે તેઓ બીજા દિવસે બેંગલુરુમાં વિજયના જશ્નમાં ફેન્સ સાથે ભાગ લેશે.

RCBના કર્નાટકના CM સિદ્ધારમૈયાvs મળ્યા બાદ ખુલ્લી છતવાળી બસમાં વિજય યાત્રા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમ તરફ લઈ જવાના હતા. આ જ કારણસર મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ બહાર ભેગા થયા હતા. પણ દુર્ભાગ્યવશ ત્યાં ભીડને કારણે અફરા-તફરી સર્જાઈ અને ખુશીની ક્ષણ દુઃખમાં ફેરવાઈ ગઈ હતી.