નવી દિલ્હીઃ બ્રિટિશ હાઈ કમિશન આજે (31 ઓક્ટોબરે) નવી દિલ્હીમાં કિંગ્સ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું છે. આ ભવ્ય સમારંભ યુકેના રાષ્ટ્રાધ્યક્ષ રાજા તરીકે મહારાજ ચાર્લ્સ તૃતીયને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરને આજે સાંજના ઉજવણી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ બંને દેશોના જેમાં મુક્ત વેપાર કરાર (FTA) પર સંમતિ સધાયા પછી વર્ષ 2035 માટેનું સંયુક્ત વિઝન અને બંને દેશોના વડા પ્રધાનો વચ્ચે પરસ્પર મુલાકાતો થયા પછી યોજાયો હતો.
યુકે અને ભારત વચ્ચેના રાજકીયક સંબંધો આ વર્ષે નવી ઊંચાઈએ પહોંચ્યા છે. આ વર્ષે મહારાજાએ વ્યક્તિગત રીતે વડા પ્રધાન મોદીને તેમના સેન્ડરિંગહેમ રોયલ નિવાસમાં આવકાર્યા હતા અને વડા પ્રધાન મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે “એક પેડ માતાને નામે” અભિયાનના ભાગરૂપે તેમને એક વૃક્ષ ભેટ આપ્યું હતું.
પ્રિન્સ ઓફ વેલ્સ તરીકે, મહારાજાએ યુકે સરકારની વિનંતી પર અનેક દેશોની મુલાકાત લીધી છે – જેમાં ભારતમાં તેમના 10 સત્તાવાર પ્રવાસનો સમાવેશ થાય છે – અને તેઓ રાજા તરીકે પણ આ પ્રવૃત્તિ કાર્યરત રાખે છે.
મહારાજા દાયકાથી જાહેર જીવનના તમામ ક્ષેત્રોમાં સક્રિય રીતે રસ ધરાવતા આવ્યા છે. છેલ્લાં 40 વર્ષોમાં તેમણે 20 કરતાં પણ વધુ ચેરિટીઓ સ્થાપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
સરકારી મહાનુભાવોથી લઈને કોમનવેલ્થ દેશોના પ્રતિનિધિઓ, વ્યાપાર ક્ષેત્રના અગ્રણી નેતાઓ અને વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સહિત ઘણા મહેમાનો કિંગ્સ બર્થડે પાર્ટીમાં હાજરી આપવાની અપેક્ષા છે. આ કાર્યક્રમમાં મહાનુભાવો યુકેના શ્રેષ્ઠ ભોજન અને યુકે–ભારતના ફ્યુઝન વાનગીઓનો સ્વાદ માણી શકશે. આ સાથે હાજર રહેનારા મહેમાનો છેલ્લા મહિનાઓમાં ભારતમાં પ્રવાસે આવેલા બ્રિટિશ કલાકારોના લોકપ્રિય સંગીતના પ્રસ્તુતિનો આનંદ પણ લઈ શકશે. બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમેરોને કહ્યું હતું કે હું દિલ્હીમાં મિત્રો અને HSBC જેવી અગ્રણી બ્રિટિશ બિઝનેસ સાથે રાજાના જન્મદિવસની ઉજવણી કરતા ગર્વ અનુભવું છું, જેઓ ભારત સાથેની અમારી આર્થિક ભાગીદારી આગળ ધપાવી રહ્યા છે. અહીં એવા ઘણા લોકોની વચ્ચે ઉપસ્થિત હોવું એ જેઓ અમારા દેશો વચ્ચેના મજબૂત જોડાણને પ્રોત્સાહિત કરે છે.




