યુનિયન બેન્ક દ્વારા જાગરુકતા સપ્તાહમાં મિની મેરેથોનનું આયોજન

નવી દિલ્હીઃ ‘સતર્કતા જાગરુકતા સપ્તાહ’ હેઠળ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા અભિયાન, સ્વસ્થ સંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં બેન્ક દ્વારા સ્વસ્થ સંમેલનમાં વેબિનાર અને વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બેન્કે આ નિમિત્તે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં પાંચ નવેમ્બરે મિની મેરેથોન-વિજિથોનનું પણ આયોજન કર્યું હતું.

બેન્ક દ્વારા આયોજિત વિજિથોન દરમ્યાન બેન્કની દિલ્હીની ઝોનલની બધી શાખાઓના કર્મચારીઓ, ગ્રાહકો અને વિવિધ સ્કૂલોના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે બેન્કના ચીફ જનરલ મેનેજર કબીર ભટ્ટાચાર્ય દ્વારા સતર્કતા જાગરુકતા અને કાર્યો વિશે ભાગ લેનારાઓને વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે કે. એમ. રેડ્ડી, વિકાસ વિનીત અને પ્રભાસ શંકર ડેપ્યુટી જનરલ મેનેજર્સ, ગણેશ પ્રસાદ- નવી દિલ્હી-સાઉથ રિજિયોનલ હેડ, ગોવિંદ મિશ્રા, રિજિયોનલ હેડ ન્યુ દિલ્હી, પી રામનાથ દીવાકર, રિજિયોનલ હેડ નવી દિલ્હી નોર્થ, ગુરુગ્રામ, પી. કે. અવસ્થી રિજિયોનલ હેડ ગુરુગ્રામ, રાજેશકુમાર સિંહ, ગાઝિયાબાદના રિજિયોનલ હેડે પણ આ વિજિથોનમાં ભાગ લીધો હતો.

આ વિજિથોનમાં વિજેતાઓમાં કામતા પહેલા ક્રમાંકે, ગોપાલને બીજા ક્રમાંકે અને માસુમરજા ત્રીજા ક્રમાંકે આવ્યા હતા. આ વિજિથોનમાં મહિલાઓની કેટેગરીમાં શ્રદ્ધા પહેલા, પ્રતિભા બીજા અને દિવ્યા ત્રીજા ક્રમાંકે વિજેતા રહ્યા હતા, જ્યારે બેન્કના કર્મચારીઓમાં સુનીલ પહેલા, ઉપેન્દ્ર બીજા અને સચિન શર્મા ત્રીજા ક્રમાંકે વિજેતા થયા હતા.